HISTORY OF PATEL(કણબી)
☘પટેલ :
☘ગોત્ર વશિષ્ઠ અને ગોત્રદેવી ચામુંડા છે.
☘પટેલ અથવા પાટીદાર અથવા કણબી એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત ..રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ રાજ્યની એક મુખ્ય જ્ઞાતિ છે. પટેલોમાં લેઉવા પટેલ અને કડવા પટેલ એમ બે પેટા જ્ઞાતિ છે. આંજણા પટેલ (ચૌધરી પટેલ) અને કોળી પટેલ પણ પટેલ જ્ઞાતિમાં ગણાતા હોવાનું કહેવાય છે.[૧]
☘ઇતિહાસ ફેરફાર ....
તેઓ કુર્મઋષિનાં વંશજો હોવાનુ મનાય છે તેથી તેઓ શરૂઆતમાં કુર્મી તરીકે જ ઓળખાતા હતાં. ઇતિહાસકારોનાં મત અનુસાર પટેલો મધ્ય એશિયામાં આસુ નદી પાસે પામીર નામનાં ઉચ્ચ પ્રદેશમાં વસતા હતાં. ત્યાંથી એક સમુહે અફઘાનિસ્તાનમાં થઈને હિન્દુકુશ પર્વતમાળા ઓળંગી ખૈબરઘાટનાં માર્ગે પંજાબમાં દાખલ થઈને વસવાટ કર્યો હતો તેમ કહેવાય છે. ભારત દેશમાં પંજાબના સપ્તસિંઘુ પ્રદેશ ‘લેયા’ પ્રદેશમાંથી આવેલા કૂર્મિ ક્ષત્રિયો લેઉઆ કહેવાયા અને ‘કરડ’ પ્રદેશમાંથી આવેલા કૂર્મિ ક્ષત્રિયો ‘કડવા’ કહેવાયા. ‘લેયા’એ લવએ વસાવેલી નગરી અને ‘કરડ’એ કુશએ વસાવેલી નગરી હોવાનું કહેવાય છે.
પંજાબમાં ઘણો સમય સ્થિર રહ્યા બાદ પરદેશી અને દેશી રાજાઓનાં આક્રમણોને કારણે પંજાબ માંથી છુટા પડેલા સમુહે પોતાની અસલ ભુમિ અને જાત વિસ્મૃત ન થઈ જાય તે માટે પંજાબનાં કરડવા વિસ્તારનાં અસલી વતનીઓએ. કરડવા કુર્મી અને લેયા અથવા લેહ વિસ્તારનાં વતનીઓ લેયા કુર્મી એવા વિશેષણો ધારણ કરીને ગંગા જમનાની ખોણો તરફ આગળ વધીને ઉતર હિન્દુસ્તાનમાં પોતાનો જમાવ કરતી કરતી કરતી..મધ્ય હિંદ એજન્સીઓ. મધ્યપ્રાંત, ખાનપ્રદેશ અને છેવટે વિક્રમ સંવત ૭૦૦ ની આસપાસ ગુજરાતમાં આવીને વસ્યા હતાં. ત્યારબાદ કાળક્રમે કુર્મી શબ્દ પરથી ...કુનબી અને પછીથી અપભ્રંશ થઈને ... કણબી શબ્દ બન્યો છે. કડવા પાટીદાર ની કુળદેવી ઉમિયા માતાજીનુ મંદિર ઉંઝામા આવેલુ છે તથા લેઉવા પાટીદારોના કુળદેવી મા ખોડલ નું મંદિર ખોડલધામ કાગવડ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ હાલ સમાજે સંગઠિત બની નિર્માણ કર્યું છે.જે એક ઈતિહાસ બન્યો છે.
🌹☘
☘મધ્યયુગથી....પટેલ શબ્દ કણબી ઉપરાંત વાણિયા, બ્રાહ્મણ, મુસલમાન, હરિજન, દરજી, મોચી અને લગભગ બધી જ્ઞાતિઓના મુખી તેમજ જ્ઞાતિના આગેવાનો માટે વપરાવા લાગ્યોહતો. પણ હાલમાં બીજી જ્ઞાતિઓમાં પટેલ શબ્દનો વપરાશ ઓછો થયો છે. હાલમાં ફક્ત કણબીઓને જ પટેલ કહે છે. આમ પટેલ શબ્દ એ કણબીઓની ઓળખ છે, જ્ઞાતિ નથી. પટેલ એટલે મુખ્ય સમાજ..(સંદર્ભ આપો)
પટેલ શબ્દનું મૂળ પટલિક શ્રી હર્ષવર્ધન મહારાજાના ઈ.સ. ૬૩૧ના એક લેખમાં અને બીજા કેટલાક લેખોમાં અક્ષપટલિક નામના એક અધિકારીનું નામ મળે છે. કેટલાક લેખોમાં મહાક્ષપટલિક અને ગ્રામાક્ષ પટલિક શબ્દો મળી આવે છે.જેને જમીન મહેસૂલ સાથે સંબંધ હતો. પ્રબંધચિંતામણીમાં જ્યાં રાજકીય લખાણો થતાં હોય તે સ્થાનને અક્ષપટલ કહ્યું છે. સોલંકી તામ્રપત્રોમાં લેખક અક્ષપટલિક હોય છે.
પાટીદાર
ગુજરાતમાં પટેલ શબ્દની શરુઆત થઈ તેને લગભગ 300 ઉપરાંત વર્ષ થઈ ગયાં હતાં. એ અરસામાં ચરોતરમા પીંપળાવગામે (જિ. ખેડા)માં વીર વસનદાસ નામે એક પટેલ હતા. તેઓ તે સમયના મોગલ બાદશાહ ઔરંગઝેબ સાથે સારો સંબંધ ધરાવતા હતા. તેમણે ધોળકા, માતર અને પેટલાદ તાલુકાનું મહેસૂલ ઉઘરાવવાનો ઈજારો દિલ્હીની સલ્તનત દ્વારા આપવામાં આવ્યો હતો. તે ખૂબ પ્રમાણિક અને શૂરવીર હતો. તેમણે સંવત ૧૭૫૯ (ઈ.સ. ૧૭૦૩)માં પીંપળાવમાં સમસ્ત કણબી કોમનો એક મેળાવડો યોજ્યો. આ મેળાવડામાં ઔરંગઝેબના શાહઝાદા બહાદુરશાહને આમંત્રણ આપ્યું. આ મેળાવડામાં વીર વસનદાસ પ્રમાણિકતા અને શૂરવીરતા જોઈ બાદશાહે શાહી દફતરમાં કણબીને બદલે પાટીદાર (પટેલ) શબ્દને સૌ પ્રથમ વખત દાખલ કરાવ્યો.
પાટીદાર= પત્તિદાર = પટ્ટદાર = જમીનદાર, પાટી = જમીનદાર = હોવું , પાટીદાર એટલે જેની પાસે જમીન હોય તે.
મુખી
ગુજરાતના મુસલમાન સુલતાનોના સમયમાં (ઈ.સ. ૧૪૧૨થી ઈ.સ. ૧૫૭૩) ગામડાંઓમાં સરકારના મુખ્ય માણસ તરીકે મુખી નિમવામાં આવતા હતા . તે મુખી એટલે મુખ્ય. પટેલ... મુખત્યાર, નેતા કે ગામના આગેવાન. મુખી શબ્દ અરબી ભાષાના મુક્તા શબ્દમાંથી આવ્યો છે.
આવા મુખીને માનવંતા શબ્દોમાં પટલિક, અક્ષપટલિક ક અક્ષપટેલ તરીકે ઓળખાતા આ પરથી પટેલ ઓળખાવા લાગ્યા. અને નવા નામથીપટેલ કહેવા લાગ્યા. ક્રમે ક્રમે મુખીના (પટેલનાં) સગાંવહાલાં અને સંબંધીઓ પણ પટેલ કહેવાવા લાગ્યા. ☘ગુજરાતમાં પટેલ શબ્દની શરુઆત લગભગ ઈ.સ. ૧૪૦૦ પછી થયેલી જણાય છે. ઈ.સ. ૧૪૦૦ સુધી ગુજરાતના બધા જ પટેલો કણબી કહેવાતા હતા. મહારાષ્ટ્રમાં પટલિક ઉપરથી પાટિલ શબ્દ બન્યો છે
☘"પટેલ હોટલ"
"પટેલ હોટલ" અથવા "પટેલ મોટેલ" તરીકે જાણીતા શબ્દે અમેરિકમા... હોટલ ઉદ્યોગ પર મોટી સફળતા મેળવી ને. . પરદેશમાં ભારે પટેલોએ.. પ્રભાવ પાડ્યો છે.
☘૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકાઓમાં મોટી સંખ્યામાં ભારતથી લોકો અમેરિકા સ્થાયી થયા છે તેમાંથી ઘણાંએ મહેનત કરીને ત્યાની મંદ પડેલી હોટલ અથવા મિલ્કતો ખરીદી અને નફાકારક ધંધામાં ફેરવી છે તે બદલ અમેરિકન સરકાર ગર્વ અનુભવે છે આખા અમેરિકાની ૬૦ ટકા મોટેલ અને હોટેલ ઉદ્યોગ ભારતીય મૂળના લોકો માલિકી ધરાવે છે. તેમાંથી ત્રીજાભાગની મિલ્કતો પટેલો ગુજરાતીઓ. .. લોકો પાસે છે.
આજે પણ પટેલો એ પોતાના પૂર્વજોની ઉજળી પરંપરા જાળવી રાખી છે . સમાજ આજે પણ શિક્ષણ.. ખેતી પશુપાલન અને વેપાર ધંધામા પ્રમાણિકતાથી આગળ વધી રહ્યો છે. અને દેશ દુનિયામાં મહેનતકશ સમાજ તરીકેની આગવી ઓળખ ધરાવે છે.
બસ હવે સમાજે ભાગલાવાદી લોકોને ઓળખવાની હાલ ખાસ જરૂર છે. તે પછી આપણા સમાજના જ હોય કે બહારના હોય ...નહિ તો હાલના આપણા રાજકારણીઓ તમને વેરવિખર કરી નાખશે ...પણ... પણ.. પણ....હવે સાવધાન રહેજો હો ભાઈઓ... અને હા ભાઈઓ... ભાઈઓ... ને તોડવામા. કોઈના હાથા બનશો નહિ... બસ શિક્ષણ સમજ અનુભવ અને સહકારથી આગળ વધો..કૂળદેવીઓ માતાજી તમારી સાથે છે
🇮🇳🌹સત્ય મેવ જયતે 🌹🇮🇳
🇮🇳 .... જય સરદાર... 🇮🇳
જય સરદાર....
બધા ભાઈઓને આ ગૌરવગાથા પહોચાડો...
No comments:
Post a Comment